બુધવાર, 31 ઑગસ્ટ, 2011

ચાર દીકરા

લેખક : પદમાણી મોહિત
ધોરણ : ૮
શ્રી ઝુંડાળા પ્રાથમિક શાળા

                                                   એક ગામ હતું. એ ગામમાં રમણભાઈ રહેતા હતા. તેને ચાર દીકરા હતા. ચારેય દીકરા આળસુ હતા. ઘરમાં રમણભાઈ એક જ કામ કરે અને ચારેય દીકરા એશ કરે.રમણભાઈ વૃદ્ધાવસ્થામાં આવી ગયા હતા. રમણભાઈને ચારેય દીકરાઓની ખુબ ચિંતા થતી.
                                                 એ ખુબ બીમાર પડ્યા. તેને એક યુક્તિ સુઝી. તેમણે એક ચીઠી લખી અને મૃત્યુ પામ્યા. તેમના દીકરા ખુબ રડ્યા. ચારેય દીકરાઓએ ચીઠી વાંચી તો તેમાં લખ્યું હતું કે,"મને ચારેય દીકરા બહુ વ્હાલા છો.હું તમને એક વાત કહું છું. જે મારો પટારો છે તેમાં ઘઉં છે. તે ઘઉં વાવવાથી તે સોનાના ઘઉં ઉગશે. આ વાંચી ચારેય દીકરા ખુશ થઇ ગયા. તેમણે પિતાજીનું પાણીઢોળ પૂર્ણ કર્યું. પછી તેમણે ખેતર ખેડ્યું અને તેમાં ઘઉં વાવી દીધા. ચોમાસું આવ્યું અને વરસાદ પડ્યો. પછી ઘઉં ઉગ્યા પણ સોનાના ન ઉગ્યા. ચારેય ભાઈઓ નિરાશ થઇ ગયા.
                                                 તેમાં સૌથી નાનો દીકરો હોશિયાર હતો. તેણે કહ્યું, " આપણે ઘઉં વાવ્યા પણ સોનાના ન ઉગ્યા તો કંઈ નહિ. આપણે ઘઉં વાવ્યા છે તો ઘઉં વેંચી નાખીએ. તો પણ ઘણા પૈસા આવશે. આ વાત ચારેય દીકરાને ગમી. ઘઉં વેચવાથી ઘણી આવક થઇ. પછી? પછી શું તે દર વર્ષે ઘઉં વાવતા ગયા. આમ બે-ત્રણ વર્ષમાં તો તે પૈસે ટકે સુખી થઇ ગયા.
                                                તે સમજી ગયા કે મહેનતના ફળ મીઠા હોય છે.