શુક્રવાર, 29 જુલાઈ, 2011

Social Science Reqruitement

રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધોરણ ૬,૭ અને ૮ માં ત્રણ શિક્ષકોની ભરતી કરવાની થાય છે.
૧. ભાષા શિક્ષક
૨. ગણિત/વિજ્ઞાન શિક્ષક અને 
૩.સામાજિક વિજ્ઞાન ના શિક્ષક.

  •  હવે સરકાર શ્રીએ સામાજિક વિજ્ઞાન ની ભરતી બહાર પાડી છે. જેનો ઠરાવ જાણવા અહી ક્લિક કરો.
  •  જેના માટે પણ TET ની પરીક્ષા લેવામાં આવશે. જેની માહિતી મેળવવા અહી ક્લિક કરો.
  • આ ઉપરાંત આ ભરતીમાં વયમર્યાદામાં પણ ફેરફાર સરકારશ્રી તરફથી કરવામાં આવ્યા છે. જેના માટે અહી ક્લિક કરો.

રવિવાર, 24 જુલાઈ, 2011

તમને સલામ મેઘાણી

સોરઠની ધીંગી ધરતીના સાવજ જેવા બેટા તમને સલામ મેઘાણી


ચૌદ વરસની ચારણકન્યા પશુપ્રેમ જ્યાં નીતરે-તમને સલામ મેઘાણી
જેની કાવ્ય ખરલથી કાયમ રંગ કસુંબી ઊતરે-તમને સલામ મેઘાણી

ઉપનિષદ સમ તમે લખી આ સોરઠની રસધાર-તમને સલામ મેઘાણી
હજી મને સંભળાય એ ભૂચર મોરીનો પડકાર-તમને સલામ મેઘાણી

દાતારોથી દોઢ ચડે એ હરિજનો હરાખાવ્યા-તમને સલામ મેઘાણી
ભક્તો પણ ભલકારા ધ્યે ઈ ઢાઢીને બિરદાવ્યા-તમને સલામ મેઘાણી

સરસ્વતીના સદા ઉપાસક દેવીપુત્ર દીપાવ્યા-તમને સલામ મેઘાણી
ગાઈને મલ્હાર ગહેકતા મીરોને ચમકાવ્યા-તમને સલામ મેઘાણી

માથા દેતાં મરદ ભોમના ક્ષત્રિયો શણગાર્યા-તમને સલામ મેઘાણી
વતનને કાજે મરતા દેવીપૂજકને ભલકાર્યા-તમને સલામ મેઘાણી

તોપુમાં ખીલા ધરબીને જાદવ ડાંગર બોલે-તમને સલામ મેઘાણી
હાથમાં લઇ તલવાર કલોજી લુણસરીયો જ્યાં ડોલે-તમને સલામ મેઘાણી

મામેરું દઈ ગાંફ ગામનો હરિજન વાતું ખોલે-તમને સલામ મેઘાણી
જોગીદાસ,જોધો,મુળુ કે રામવાળો રસ ઘોળે-તમને સલામ મેઘાણી

હમીરજીની ખાંભી ઉપર તમે સિંધવો રાગ-તમને સલામ મેઘાણી
આઈ વરૂડી,સોનલ,જાહલ તમે બતાવ્યો ત્યાગ-તમને સલામ મેઘાણી

હજી મને પડઘાય સોરઠના આયરડાના રાસ-તમને સલામ મેઘાણી
હવે મને સમજાય દેવરો-આણલ કેરી પ્યાસ-તમને સલામ મેઘાણી

ઘેલાશા વર્ણવતા જેની કલમ બને તલવાર-તમને સલામ મેઘાણી
ગાંધીને મૂલવતા કલમ થૈ તંબુરાનો તાર-તમને સલામ મેઘાણી

વાહ ભીમાનું ભાલું અમને હળવાફૂલ બનાવે-તમને સલામ મેઘાણી
'મોર બની થનગનાટ' અમારી છાતી ગજ ફૂલાવે-તમને સલામ મેઘાણી

સહજ સાધ્ય શૃંગાર તમારી કવિતાયું મહેકાવે-તમને સલામ મેઘાણી
ખારવણની ખમીરાઈ ઉપર જે આંસુડા લુંટાવે-તમને સલામ મેઘાણી

દુહા-છંદ,ગીતો-વાતોને રજુ કરી છે સાચે-તમને સલામ મેઘાણી
ધન્ય હાલરડા ધન્ય રાહ્ડા, લગ્નગીત જ્યાં નાચે-તમને સલામ મેઘાણી

ઈ તેજસ્વી આંખોને અણીયાણી કાળી મૂંછો-તમને સલામ મેઘાણી
ઈ ફેંટો, ઈ બંડીને ઈ જવામર્દનો જૂસ્સો-તમને સલામ મેઘાણી

મર્દાઈના માપદંડ માણસાઈના છોગાં-તમને સલામ મેઘાણી
અમે રૂપકના ફીફાં ખાંડી ઉભા કોરા રોગા-તમને સલામ મેઘાણી

વાતુનો સમદર વલવીને દીધા અઢળક મોતી-તમને સલામ મેઘાણી
લોક્ચારાને, લોક ધરમને, લોક્વેદને ગોતી-તમને સલામ મેઘાણી

લાજવાબ લહિઆ કાવ્યના કરાફાટ કવિરાજ-તમને સલામ મેઘાણી
માનવ સંવેદનનો જુગ જુગ જૂનો એક અવાજ-તમને સલામ મેઘાણી

હવે તમારી છબીયું જોઈ શબદો ગાયા કરશું-તમને સલામ મેઘાણી
રાષ્ટ્રપ્રેમના આ ઝરણામાં નિતનિત નાયા કરશું-તમને સલામ મેઘાણી

તમે જીવતી લોકકથાને તમે અનોખી આંધી-તમને સલામ મેઘાણી
કલમ તમારી થઇ ગઈ વ્હાલા,વિરબંકાની ખાંભી-તમને સલામ મેઘાણી

'સાંઈ' શબદનાં પુષ્પો લઈને ઉભો છે તમ દ્વાર-તમને સલામ મેઘાણી
ફરી જનમ લઇ, ગુર્જર માટે - વરસો અનરાધાર...!-તમને સલામ મેઘાણી

                                                                                       - સાંઈરામ દવે

ગુરુવાર, 21 જુલાઈ, 2011

એક વિનંતી

મિત્રો !
કેમ છો?
આશા રાખું મજામાં હશો.


                              મારું નામ વાળા પ્રતિક છે.હું ઝુંડાળા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક છું.ગયા વરસની પાંચમી જુલાઈએ હું આ નોકરીમાં જોડાયો.આ એક વરસમાં મને ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું. કોલેજમાં હતો અને ઈંટરનેટ વિષે થોડું જાણતો થયો ત્યારથી મને મારી વેબસાઈટ બનાવવાની ઈચ્છા હતી (પૈસા કમાવા માટે હો!).મારા માટે ગર્વની વાત તો એ છે કે મારી નોકરીમાં જોડાયાના એક વર્ષ પૂરું થતા પહેલા હું મારી સ્કુલની વેબસાઈટ બનાવી શક્યો છું.
                               પણ આ એક વર્ષ માં મને અમુક બાબતો જાણવા મળી જે મને થોડી સુધારવા જેવી લાગી. જેમ કે ઘણા શિક્ષકો એવા હતા જે પોતાના વતનથી દુર નોકરી કરતા હતા. તેઓ બદલી કરવા ઇચ્છતા હતા પણ તેમને અરસ-પરસ (સામ સામે) બદલી કરવા કોણ સામે તૈયાર છે એની માહિતી જ નહોતી. થોડા એવા કિસ્સા પણ જાણવા મળ્યું કે અમુક લોકો આ પ્રક્રિયામાં મસમોટી રકમ પણ ઉઘરાવતા હતા. જાણીને ખુબ દુઃખ થયું પણ ઉપાય કોઈ મળતો નહોતો.
                               સામે વતનથી દુર શિક્ષકો પોતાની ફરજ તો નિભાવતા હતા પણ તેમના હૃદયમાં ક્યાંક પોતાના વતનની યાદ તો ક્યાંક તેની પીડા હતી. તમે અને મે એક પ્રાર્થના ઘણી બધીવાર સાંભળી છે અને ગાઈ પણ છે...
                                 " જીવન અંજલી થાજો,
                                                           મારું જીવન અંજલી થાજો;
                                    ભૂખ્યા કાજે ભોજન બનજો,
                                                           તરસ્યાનું જળ થાજો.
                                                           મારું જીવન અંજલી થાજો."


                            બસ મે પણ આ કાર્ય કરવાનો પ્રયત્ન શરુ કર્યો.મનમાં થયું કે ચાલો અરસ-પરસ બદલી કરવા ઇચ્છતા શિક્ષકોને જ મદદ કરી લઈએ, ભૂખ્યા અને તરસ્યાને મદદ કરનારા તો ઘણા બધા છે. એ જ આશયથી મે મારો આ પ્રયત્ન શરુ કર્યો છે. પરંતુ મારા એકથી આ કાર્ય પૂર્ણ કરવું અશક્ય છે. આના માટે મારે B.R.C. અને  C.R.C. ની મદદની જરૂર છે. આ કાર્યમાં આપણે કે મને કોઈ આર્થિક વળતર નહિ મળે પણ એક એવું વળતર મળશે જે મારી દ્રષ્ટીએ ખુબ મોટું છે અને એ છે દુઆ.
                            મિત્રો તમે ઈચ્છો તો આપની માહિતી પણ મને e-mail થી મોકલી શકો છો. તમારી ઓળખના અન્ય લોકોની માહિતી પણ તેમની અનુમતિથી મોકલી શકો છો. B.R.C. અને C.R.C. એક કરતા વધારે શિક્ષકોની માહિતી એક સાથે બધાના કોન્ટેક નંબર સાથે મોકલી શકે છે અને મારા આ પ્રયત્નને 'સફળતા' કે 'નિષ્ફળતા' બે માંથી કોઈ પણ દિશા આપી શકો છો.




મિત્રો, તમારા મંતવ્યો, સુચનો અને કોમેન્ટ્સ મને આપજો. મારા માટે એ પ્રોત્સાહન રૂપ બનશે અને જો કોમેન્ટ નાં લખવી હોય તો દિલથી એક દુઆ મારા નામે ઈશ્વરના સરનામે મોકલી આપજો.
                                                                                     લિ. સૌનો મિત્ર 
                                                                                       વાળા પ્રતિક

મંગળવાર, 19 જુલાઈ, 2011

Read Gujarati on Mobile


You can read Gujarati / Hindi in your Mobile via Opera Mini Browser.

1) Download Opera Mini by clicking its name here.
2) Open Opera Mini in your Mobile.
3) Type "opera:config" (without quote) in address bar
4) Find option "use bitmap fonts for complex script"
5) set above setting with "yes"
6) exit from browser and reopen it.


You have to do this process for one time only.

Now, you can read Gujarati and Hindi font in Opera Mini.
Enjoy !

રવિવાર, 17 જુલાઈ, 2011

Ame chhiye Gujarati Song and Yoga.MP4

Desh Rangila Part-1.MP4

Desh Rangila Part-2.MP4

Zankhi Hindustan ki.mp4

Don't Follow Others


He is successful. He is rich. He is happy. He is A to Z.

You know who is this 'He'?

No

You know him.

How can you say that?

'He' is no one but the person who is your ideal.
He is the person whose Life or thinking is nothing but the PERFECT according to you.

Everyone have this kind of ideal. So what's your point?

Actually that is the point.
To have appreciation for someone is good but should we try to imitate them blindly ?
Live Your life as You want. Don't care about things which are not worthy enough as your life.

If you will work for SALARY only. Then, how will you be happy with your job?
So in short....
LIVE YOUR LIFE AS YOU WANT TO LIVE BECAUSE EACH & EVERY SECOND OF YOUR LIFE IS UNIQUE.

Seven at Blow-Girls Part-1.mp4

Seven at Blow-Girls Part-2.mp4

શનિવાર, 16 જુલાઈ, 2011

એક દીકરીનો કાગળ


એક દીકરીની વેદના

એક દીકરીએ કાગળ લખ્યો માતાને સરનામે,
સરનામામાં પોસ્ટ કરુણા,મુકામ મમતા ગામે,

એક લાખ સપનાઓ માડી મેં તો ઉદરમાં જોયા,
પણ મારી હત્યા પાછળ ના કોઈ હૃદયથી રોયા,
હું ધલવલતી કે દીકરો ના બની શકી એ ડામે,
સરનામામાં પોસ્ટ કરુણા,મુકામ મમતા ગામે...

તું'ય કોકની દીકરી યાદ છે તું'ય કોકની થાપણ !
વાંક શું મારો કાં આપ્યું આ જનમની પેલા ખાપણ,
તું દીકરા માટે ઝંખે પણ કલંક મા ના નામે,
સરનામામાં પોસ્ટ કરુણા,મુકામ મમતા ગામે...

ભૃણની હત્યા નથી માત્ર આ છે મમતાનું મોત,
તારા એક આ ક્રૂર વિચારે બુઝી કરુણા જ્યોત
ઓળખી જાજે આવીશ જલદી ડોક્ટર થઈને,સામે
સરનામામાં પોસ્ટ કરુણા,મુકામ મમતા ગામે...

હવે ભાઈલો જન્મે ત્યારે દે જે ચુમ્મી મારી,
આવજે મમ્મી ક્યાંક હજી છે મારી ઇન્તેજારી,
હવે તો દીકરો તારો વૃદ્ધાશ્રમ મોકલે તો જામે,
સરનામામાં પોસ્ટ કરુણા,મુકામ મમતા ગામે...

દીકરીને કોઈ જનમ ન દેશે દીકરા કેમ પરણશે?
બંધ કરો આ પાપ માફ તો ઈશ્વર પણ નાં કરશે,
'સાંઈ' દીકરીનો કાગળ લઇ ફરતો ગામે ગામે,
સરનામામાં પોસ્ટ કરુણા,મુકામ મમતા ગામે...
                         
                                                                                          - સાંઈરામ દવે

શનિવાર, 9 જુલાઈ, 2011

થડેશા રાજેશ (ધોરણ-૭)

૧. મારે ભણવામાં સૌથી વધારે મહેનત શા માટે કરવી જોઈએ?
                                                 કારણ કે, મારે બધાથી હોશિયાર બનવું છે.બધા હરેક બાળકને સૌથી વધુ હોશિયાર બનવાની ભાવના હોય છે.તેને માટે પરિશ્રમ જ મોટો પાયો ગણાય.પરિશ્રમ જ સફળતાનો પાયો છે.જો આપણે પરિશ્રમ ણ કરીએ તો જીવનમાં કાઈ કરી શકતા નથી.અને જો આપણા જીવનમાં મહેનત (પરિશ્રમ) હશે તો જ જીવનમાં કાઈક મેળવી શકીશું.તમે તો જનતા જ હશો કે મહેનત વગર માણસ મહાન કદી બનતો નથી.તે અસંભવ છે.પરીક્ષા માટે વિદ્યાર્થી પાકું કરવા માંડે છે.કારણ કે તેને સફળતા મેળવવી છે.માટે તે મહેનત કરે છે.બાળકને પણ ખબર છે કે મહેનત વગર સફળતા વ્યર્થ છે.
                                                 માટે મારે જીવનમાં કઈક મેળવવું છે.કઈક એવું કામ કરવું છે કે જેથી મારું ભાવિ ઉજળું બને તેને માટે મહેનત કરવી જરૂરી છે.
               પાયા વિનાનું ચણતર નકામું,  વિનય વિનાનું ભણતર નકામું.
                                                 વિદ્યાર્થી જીવનમાં વિનય હોવો ખુબ જરૂરી છે. વિનય વિનાનું ભણતર વ્યર્થ ગણાય છે.
શું ન કરવું?
                                                 ભણતર જીવનમાં વિદ્યાર્થીએ પોતાના શરીરને સ્વસ્થ - તંદુરસ્ત રાખવું જોઈએ.શરીર નીરોગી, તંદુરસ્ત હોય તો જ વિદ્યાર્થી વિદ્યાભ્યાસમાં સારી રીતે ભણી શકે.શરીરને સ્વસ્થ રાખવા વિદ્યાર્થીએ કોઈ પણ પ્રકારના વ્યસન, કુટેવોથી સાવધાનીપૂર્વક દુર રહેવું જોઈએ.
                                                 વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થીએ એશ આરામ, સુખનો ત્યાગ કરી પરિશ્રમી બનવું જોઈએ.કહેવાય છે કે વિદ્યાપ્રાપ્તિ અને સુખ એ બે તલવારો એક મ્યાનમાં કદી એક સાથે ણ રહી શકે.જયારે વિદ્યાર્થી મહેનત કરી હોશિયાર બને છે.ત્યારે એનામાં કઈક કરવાની ઉત્સુકતા જાગે છે.એને થાય 'હું એ કરી શકું છું.' એવી ભાવના જાગે.
                અસંભવને સંભવ કરી બતાવે એ જ મહેનત.
                                                    વૈજ્ઞાનિકો હજારો વાર હાર ખાઈને સફળતા મેળવે છે પણ તે કદી હાર માનતા નથી.તેને આત્મવિશ્વાસ હોય છે કે હું આ કરી જ શકું છું.આવો ભાવ લઈને એ મહેનત ખુબ કરે છે ને સફળતા પ્રાપ્તિ મેળવે છે.
                                                   આત્મવિશ્વાસ એ જ સૌથી મોટી શ્રદ્ધા છે.જેનામાં આત્મવિશ્વાસ છે તે માણસ ધારે તે કરી શકે પણ તેને માટે જો પરિશ્રમ ણ હોય તો વ્યર્થ છે, અસંભવ છે.ગાંધીજીને આત્મવિશ્વાસ પોતાના પર ભરોસો હતો કે અંગ્રેજોની ગુલામીમાંથી પોતાનો દેશ છોડાવી સ્વતંત્રતા મેળવી,પણ તેણે ખુબ દુઃખ સહ્યા, ખુબ પરિશ્રમ-મહેનત કરી ત્યારે દેશને સ્વતંત્રતા મળી.
૨. ભણવામાં મહેનત નહિ કરું તો મારું ભવિષ્ય કેવું હશે?
                                                      જો હું ભણવામાં મહેનત નહિ કરું,ભણવામાં ધ્યાન નહિ આપું તો મારે આખું જીવન કામ કરતુ રહેવું પડશે.જે મનુષ્ય ભણતો નથી તેની જીન્દગી ધૂળ-ધાણી બની જાશે.મારે ખેતી કામ, બહાર નં કામ ગમે તે રીતે ગધામજૂરી કરીને પૈસા કમાવવા પડશે.ગમે તેવા મોટા દુઃખો સહન કરવા પડશે.એમાં મારે એશ આરામનું નામ મારા જીવનમાંથી ભુંસાઈ જશે.પણ હું આવું કરવા નથી માગતો.
                                                     હું મારા દિલના અવાજથી કહું છું કે,"મારે ખુબ ભણીને મોટો શેઠ કે બંગલા-ગાડીનો માલિક નથી બનવું.મારે મારો પરિવાર, ગામડું, નિશાળનું ગૌરવ વધારવું છે.મારે દીન દુખિયાની સેવા કરવી છે. મારે ડોક્ટર નથી બનવું કે દર્દી મારા પગમાં પડીને પ્રણામ કરીને કે મને સાવ સાજો કરી દયો.સુખ દુઃખ આપનાર તો ઉપર બેઠો છે.
                                                  હું નહિ ભણું તો મારે તગારા માથે ઉપાડવા પડશે,પાવડા હાથમાં લેવા પડશે.ઉઠ્યાથી સુઈ જવા સુધી અશાંતિ હશે.માટે મારે ભણી-ગણીને મારું જીવન સુખી અને બીજાને સુખ આપવું એટલે મારાથી બનતી સેવા કરીશ.બીજાને મદદગાર બને એવું મારું જીવન બનાવીશ ને બીજાને મદદ કરવાની મારાથી બનતી કોશિશ જરૂર કરીશ.
                                                 જો હું નહિ ભણું તો બીજાની મદદ કેવી રીતે કરી શકીશ? માટે હું ભણતરમાં મન લગાવીને ધ્યાન આપીશ.

રવિવાર, 3 જુલાઈ, 2011

આદર્શ આચારસંહિતા

અનુદાન વગરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ફી માટે સરકારશ્રી તરફથી નક્કી કરેલ આદર્શ આચારસંહિતા જાણવા માટે અહી ક્લિક કરો.

હું એક શિક્ષક છું


હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહિ,
હું સમાજનું હૃદય ધબકતું સ્થાન ને મારા હણતા નહિ,

મેં કલાકો ગળા ઢઇડીને વર્ગખંડ ગહેકાવ્યા છે,
મેં કળીઓને ફૂલ બનાવી બાગબાગ મહેકાવ્યા છે,
મેં વાવી છે શિષ્ટ સભ્યતા હવે આ મોસમ લણતા નહિ,
હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહિ,

આદર્શોના ઈંધણ નાખી મેં સંસ્કારો રાંધ્યા છે,
ડોક્ટર, વકીલ કે ઇન્સ્પેકટર મેં પાયેથી બાંધ્યા છે,
હું પાયાનો પથ્થર કોઈ જુઠ ઈમારત ચણતા નહિ,
હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહિ,

ખાણમાં નાખી હાથ અને મેં કૈક હીરાઓ ઝળકાવ્યા,
શબ્દનો સેવક થઈને સાક્ષરતાના નેજા ફરકાવ્યાં,
અને તમે શું આપ્યું? પૂછો મા ! ઝખમને ખણતા નહિ,
હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહિ,

હા,હું હકથી, વટથી કહું છું સમાજ મારો ઋણી છે,
વેતન લઈને વતન સાચવ્યું તોય વાત અણસુણી છે,
આદર ના આપો તો માફી, આરોપો બણબણતા નહિ,
હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહિ.

- સાંઈરામ દવે