શુક્રવાર, 24 મે, 2013

લાગણીઓ લીલામ કરી નાખી મેં

લાગણીઓ લીલામ કરી નાખી મેં,
માગણીઓ મ્યાન કરી નાખી મેં.

વહે છે ધસમસતી નદીની જેમ,
જિંદગી હવે બેલગામ કરી નાખી મેં.

આપણી વચ્ચે અંતર જરૂરી છે,
એટલે લક્ષ્મણરેખા દોરી રાખી મેં.

શ્વાસ અને ધડકનમાં જુનું વેર હતું,
એટલે બેય ને બંધ કરી નાખી મેં.

અમૃતના ઓડકાર તો મને આવે જ ને ?
કેટલીય પીડાઓ મોઢેથી ચાખી મેં.

'આનંદ' બધાને સમજાશે નહિ,
કેમ ગઝલ આ લોહીથી લખી મેં ?